ગુજરાતની વિવિધા
* ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ?
- ગુર્જર જાતિ પરથી
* ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર
- અરબી સમુદ્ર
* ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ?
- ઈ. સ. 1600 ની
આસપાસ પોર્ટુગીઝ લોકોએ
* ગુજરાતમાં કયા ર્મના લોકોની વસ્તી
વધારે છે ?
- હિન્દુ
* ડાંગ શબ્દનો અર્થ શું ?
- જંગલ
* નર્મદા નદી ગુજરાતમાં કયા સ્થળે
પ્રવેશે છે ?
- ચાંદોદ
* અમદાવાદની સ્થાપના કોણે, ક્યારે કરી હતી ?
- ઈ. સ. 1411 માં
સુલતાન અહમદ શાહે
* બારડોલી સત્યાગ્રહના નેતા કોણ હતા ?
- સરદાર વલ્લભભાઈ પટેલ
* માઉન્ટ આબુના દેલવાડા મંદિરોની
સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે ?
- હઠીસિંહ મંદિર
* અમદાવાદની નજીકમાં આવેલી અડાલજની વાવ
ક્યારે બાંધવામાં આવી હતી ?
- પંદરમી સદીમાં સોલંકી યુગ દરમિયાન
* સેવા સંસ્થાની સ્થાપના કોણે અને
ક્યારે કરી હતી ?
- ઈલાબહેન ભટ્ટે, 1972માં
* અક્ષરધામ શું છે ?
- ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ
પંથનું વડું મથક છે.
* ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં
પ્રસિદ્ધ બન્યું છે ?
- હીરા ઘસવાના ઉદ્યોગ
* ગુજરાતના ક્યા શહેરમાં પટોળાંનું પ્રખ્યાત
કાપડ વણવામાં આવે છે ?
- પાટણ
* આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું
નામ શું છે ?
- મંથન
* ભારતની ‘શ્વેત
ક્રાંતિ‘ના પિતામહ કોને ગણવામાં આવે છે ?
- ડો. વી. કુરિયન
* ભારતમાં જહાજ ભાંગવાનુ; સૌથી મોટું કેન્દ્ર ક્યાં આવેલું છે ?
- સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલ અલંગમાં
* ભારતનું એક માત્ર એવું કયું રેલવે સ્ટેશન
છે જ્યાં કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે ?
- ભાવનગર
* ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ?
- બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં
* કયા રાજાએ સોમનાથ પર સત્તર વાર આક્રમણ
કર્યું હતું ?
- મેહમૂદ ગઝનવી
* આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્યા
છે ?
- ગિરની તળેટીમાં
* સમ્રાટ અશોકના શિલાલેખ સૌરાષ્ટ્રમાં
કયાં મળી આવ્યા છે ?
- ગિરનાર પર્વત અને જૂનાગઢની વચ્ચે આવેલા
વિસ્તારમાં
* ‘‘વૈષ્ણવ જન તો તેને રે…..‘‘ ભજનના રચયિતા કોણ હતા ?
- નરસિંહ મેહતા
* પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા
નામથી ઓળખવામાં આવે છે ?
- કીર્તિમંદિર
* જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે
છે ?
- બાલા હનુમાન
* વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો
જિલ્લો કયો છે ?
- કચ્છ
* ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું
છે ?
- મધ્યપ્રદેશ
* ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
- ગિરનાર
* ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું
એકમાત્ર ગિરિમથક કયું છે ?
- સાપુતારા
* ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો
છે ?
- પાકિસ્તાન
* ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર
થાય છે ?
- કર્કવૃત
* ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે
છે ?
- મગફળી અને કપાસ
* ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ?
- કાંકરેજ,ગીર
અને ડાંગી
* ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ
આપવા માટે જાણીતી છે ?
- મહેસાણી,સુરતી
અને જાફરાબાદી
* ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્યાત
છે ?
- પાટણવાડી અને મારવાડી
* ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો
જાણીતી છે ?
- સુરતી અને ઝાલાવાડી
* ગુજરાતમાં પર્લ ઓઇસ્ટર કયાં મળે છે ?
- જામનગર પાસેથી
* ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ?
- દસ ટકા
* કચ્છના નાના રણમાં કયા જંગલી ગધેડા
જોવા મળે છે ?
- ઘુડખર નામના
* ગુજરાતમાં પારસીઓની વસ્તી મુખ્યત્વે
કયા જિલ્લાઓમાં છે ?
- સુરત અને વલસાડ
* ગુજરાતમાં ખ્રિસ્તીઓની વસ્તી મુખ્યત્વે
કયા જિલ્લાઓમાં છે ?
- ખેડા અને આણંદ
* ગુજરાતના કયા વિસ્તારમાં જૈનોનું
પ્રમાણ વધુ છે ?
- ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્છમાં
* ગુજરાતમાં બીડી બનાવવાનો ઉદ્યોગ મુખ્યત્વે
કયાં કયાં શહેરોમાં   વિકસ્યો છે ?
- આણંદ,નડિયાદ,પેટલાદ,બોરસદ અને પાટણ
* ગુજરાતમાંથી કયો અગત્યનો રાષ્ટ્રીય
ધોરી માર્ગ પસાર થાય છે?આ માર્ગ તેને છેડે આવેલાં કયા બે
શહેરોને જોડે છે ?
- રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8. તે દિલ્લી અને મુંબઈને જોડે છે.
* ગુજરાતના કયા ઘઉં પ્રખ્યાત છે ?
- ભાલ વિસ્તારમાં થતા ભાલિયા ઘઉં
(દાઉદખાની)
* ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન
કયા જિલ્લામાં થાય છે?
- વલસાડ (રાજયના કુલ ઉત્પાદનના 25 ટકા)
* ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન
કયાં થાય છે ?
- જૂનાગઢ જિલ્લામાં
* ગુજરાતમાં કપાસનું ઉત્પાદન કયાં સૌથી
વધુ થાય છે ?
- વડોદરા જિલ્લામાં (ભરૂચ અને વડોદરા
પ્રદેશનો કાનમ પ્રદેશ  ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે
જાણીતો છે.)
* ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન
કયાં થાય છે ?
- ખેડા જિલ્લામાં (અહીંનો ચરોતર પ્રદેશ
તમાકુના પ્રદેશ તરીકે ઓળખાય છે.)
* ગુજરાતમાં શેરડીનું વાવેતર કયાં સૌથી
વધુ થાય છે ?
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર
* ગુજરાતમાં કયા ધાન્યનું સૌથી વધુ
વાવેતર અને ઉત્પાદન થાય છે ?
- બાજરી
* ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધુ પાકી
સડકો ધરાવે છે ?
- ખેડા
* ગુજરાતમાં કયો જિલ્લો સૌથી ઓછી પાકી
સડકો ધરાવે છે ?
- ગાંધીનગર
* ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ
કયા જિલ્લામાં થાય છે ?
- ખેડા જિલ્લામાં
* ગુજરાતની નિકાસમાં અગ્રસ્થાને શું છે ?
- સિંગખોળ અને મીઠું
* ગુજરાતમાં સૌથી સુંદર સ્મશાન ગૃહ કયાં
આવેલું છે ?
- સિદ્ધપુરમાં (મુક્તિધામ) 
 
No comments:
Post a Comment